દ્વારકા શારદા મઠ ખાતે ત્રિ-દિવસીય અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિ દરમિયાન આરોગ્યલક્ષી પત્રિકાનું વિતરણ

દ્વારકા શારદા મઠ ખાતે ત્રિ-દિવસીય અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિ દરમિયાન આરોગ્યલક્ષી પત્રિકાનું વિતરણ

તાજેતરમાં દ્વારકા શારદા મઠ ખાતે આયોજિત ત્રિ-દિવસીય અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિ કાર્યક્રમમાં વરવાળાના આયુર્વેદાચાર્ય વૈદ્ય ડી. પી. મહેતા દ્વારા હિન્દી ભાષામાં સંકલિત કરાયેલ આરોગ્યલક્ષી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપતી આ પહેલને ખુબ જ બિરદાવવામાં આવી હતી.


વિશેષ કરીને પ્રો.શ્રીનિવાસ વારખેડીજી કુલપતિશ્રી,કેન્દ્રિય સંસ્કૃત વિશ્વ વિદ્યાલય  (ભારત સરકાર શિક્ષણ મંત્રાલય) પ્રસ્તુત પત્રિકાનું રસપૂર્વક વાંચન કરતા દ્રશ્યમાન થયા હતા.


આ ઉપરાંત ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી  અર્જુનભાઈ મોઢવાડીયા
પ્રો. સુકાન્ત સેનાપતિ – કુલપતિશ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય - વેરાવળ, ,
તથા નિરંજનભાઈ પટેલ  – કુલપતિશ્રી સરદાર પટેલ વિશ્વ વિદ્યાલય - – વલ્લભવિદ્યાનગર
વગેરે મહાનુભાવોને પણ આ પત્રિકા અર્પણ કરવામાં આવી હતી.


સૌએ આ આરોગ્યલક્ષી જાગૃતિ અભિયાનને પ્રશંસનીય ગણાવી, સમાજમાં આયુર્વેદ તથા સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની શુભેચ્છા વ્યક્ત કરી.


કાર્યક્રમની વિશેષતાઓ:



આ પ્રસંગે આયુર્વેદ અને વૈદિક પરંપરાના સમન્વય સાથે આરોગ્ય વિષયક જાગૃતિનો સુંદર સંદેશ આપવામાં આવ્યો, જે સમાજ માટે પ્રેરણાદાયી સાબિત થયો.

Website: https://gccdwarka.webtech365.in/

Total Views: 8
« Previous Next »
× Gallery Image